અરવિંદ કેજરીવાલને ઝટકો: સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની વધુ સુનાવણી 29 એપ્રિલે
- 15 Apr, 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને સોમવારે એક પછી એક ઝટકા લાગ્યા છે. પહેલા સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાથી ઈન્કાર કરતા આ મામલાને 29 એપ્રિલ સુધી ટાળી દીધો હતો. આ સિવાય કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડીને 23 એપ્રિલ સુધી વધારવામાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રીની કથિત દારૂ કોભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં 21 માર્ચે ધરપકડ કરવામાાં આવી હતી. એક એપ્રિલે કોર્ટે તેમને 15 એપ્રિલ સુધીની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. સોમવારે તેમને વરચ્યુઅલ માધ્યમથી સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી દીધી છે. કોર્ટનો આ ચુકાદો એવા સમયે આવ્યો છે, જ્યારે થોડી મિનિટો પહેલા દિલ્હીના મુખ્યમંત્રીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સક્ષિપ્ત સુનાવણી થઈ.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર ઝડપથી સુનાવણીથી ઈન્કાર કરતા આ મામલાને 29 એપ્રિલે શરૂ થતા સપ્તાહમાં લિસ્ટ કરવાનું કહ્યું છે. કેજરીવાલને આ એટલા માટે પણ મોટો ઝટકો છે, કારણ કે 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટીના નેતા ચૂંટણી પ્રચારમાં હિસ્સો લઈ શકતા નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ